બાબા રામદેવને હાજર થવા કોર્ટની નોટીસ: કેરળની કોર્ટે અખબારમાં ભ્રામક જાહેરાત આપવાના કેસમાં બાબા રામદેવ અને બાલકૃષ્ણને 3 જૂને હાજર રહેવા નોટિસ ફટકારી
- 22 May, 2024
યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની મુશ્કેલીઓ ઘટવાના બદલે વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અંગ્રેજી અને મલયાલમ ન્યુઝ પેપર્સમાં ભ્રામક જાહેરાત આપવાના કેસમાં કાઝિકોડાની કોર્ટે તેમને 3 જૂન હાજર રહેવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટમાં ભ્રામક જાહેરાત આપવાના કેસમાં કોર્ટ સમક્ષ હાજર થવામાંથી મુક્તિ મળી છે. તે પહેલા યોગગુરુ અને તેમના શિષ્યએ કોર્ટમાં ભ્રામક જાહેરાતના કેસમાં માફી માંગી હતી.
ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં કોઝિકોડના આસિસ્ટન્ટ ડ્રગ કંટ્રોલરની ઓફિસમાં તહેનાત ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે ડ્રગ્સ અને જાદુઈ સારવાર(વાંધાજનક જાહેરાત) એક્ટ, 1954ની કલમ 10, કલમ 3(બી) અને 3(ડી) તથા 7(એ) હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. હાલમાં જ હરિદ્વારની એક કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને હાજર થવામાં નિષ્ફળ રહ્યા બાદ સમન્સ જારી કર્યા હતા.
પતંજલિના ઉત્પાદનોમાંથી એક દિવ્યા લિપિડોમએ કોલેસ્ટ્રોલ અને ડિસ્લિપિડેમિયા ઘટાડવાનો દાવો કર્યો હતો. પતંજલિ ન્યુટ્રેલા ડાયાબિટીક કેરે બ્લડ સુગર લેવલ ઘટાડવા અને શરીરના વજનને નિયંત્રિત કરવાનો દાવો કર્યો હતો. એક્ટની કલમ 3 અમુક રોગો અને વિકારની સારવાર માટે અમુક દવાઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકે છે. જો દોષી સાબિત થાય તો છ મહિના સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ